ગુરુ મિથુન રાશિમાં માર્ગી

એસ્ટ્રોસેજ એઆઈ પોતાના વાચકો ને જ્યોતિષ ની દુનિયામાં થવાવાળા દરેક નાના-મોટા પરિવર્તન વિશે સમય સમય ઉપર અવગત કરાવે છે.હવે ગુરુ દેવ 04 ફેબ્રુઆરી 2025 ની બપોરે 01 વાગીને 46 મિનિટ ઉપર મિથુન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે.એવા માં,અમારો આ લેખ તમને ગુરુ મિથુન રાશિમાં માર્ગી સાથે સબંધિત બધીજ જાણકારી આપશે.આની માર્ગી અવસ્થા બધીજ 12 રાશિઓ ની સાથે સાથે દેશ અને દુનિયા ને કઈ રીતે પ્રભાવિત કરશે,એના વિશે અમે વિસ્તાર થી જાણકારી આપીશું.જો તમે પણ જાણવા માંગો છો કે ગુરુ ની માર્ગી ચાલ તમને કેવા પરિણામ આપશે?તો આ લેખ ને છેલ્લે સુધી જરૂર વાંચો.

ગુરુ મિથુન રાશિમાં માર્ગી

हिंदी में पढ़े : राशिफल 2025

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કોલ-ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

હિન્દુ પંચાંગ મુજબ,બધાજ ગ્રહો ની તુલનામાં શનિ દેવ પછી ગુરુ ગ્રહ ને પોતાની રાશિ ચક્ર પુરા કરવામાં બહુ સમય લાગે છે.જણાવી દઈએ કે એક રાશિ માંથી બીજી રાશિ માં પ્રવેશ કરવામાં 13 મહિના સુધી નો સમય લાગશે અને આ રીતે,આ દરેક રાશિમાં 13 મહિના રહે છે.

જ્યોતિષ દ્રષ્ટિથી ગુરુ માર્ગી નું મહત્વ

જ્યોતિષ માં ગુરુ મિથુન રાશિમાં માર્ગી થવાનો મતલબ છે કે જયારે કોઈ ગ્રહ ઉંધી ચાલ થી ફરીથી આગળ ની તરફ જવા લાગે છે.સામાન્ય શબ્દો માં કહીએ તો પૃથ્વી થી કોઈ ગ્રહ ફરીથી પોતાની પરિક્રમા પથ ઉપર સૂર્ય ની તરફ આગળ વધતો દેખાઈ છે,એને ગ્રહ નું માર્ગી થવું કહે છે.જણાવી દઈએ કે ગુરુ ગ્રહ ને પોતાની રાશિ ચક્ર પુરુ કરવામાં લગભગ 12 વર્ષ નો સમય લાગે છે અને દરેક વર્ષે લગભગ 4 મહિનાના સમયગાળા માં વક્રી (ઉલટો ચાલતો દેખાય) થાય છે.જયારે આ માર્ગી થાય છે તો આ આગળ ની તરફ વધે છે.

Read in English : Horoscope 2025

ગુરુ દેવ નો વિસ્તાર,સમૃદ્ધિજ્ઞાન અને ઉચ્ચ શિક્ષણ નો ગ્રહ માનવામાં આવે છે.પરંતુ,જયારે આ માર્ગી અવસ્થા માં આવે છે ત્યારે આ બધીજ જગ્યા એ પેહલા ની તુલનામાં સકારાત્મક પરિણામ દેવા લાગે છે.પ્રગતિ અને સફળતા ના મોકા આપે છે.ગુરુ ગ્રહ ની માર્ગી અવસ્થા માં આવવા પર આનું પુરુ ધ્યાન આગળ વધવા તરફ કેન્દ્રિત કરે છે.આ સમયગાળા માં લોકો શારીરિક અને માનસિક રૂપથી પોતાના લક્ષ્યો ને મેળવા પ્રત્ય આત્મવિશ્વાસ થી ભરેલો મહેસુસ રહે છે અને વધારેમાં વધારે યાત્રા કરતો જોવા મળે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

એના સિવાય,ગુરુ ગ્રહ સૌભાગ્ય,નવા પ્લાન અને પરંપરાઓ સાથે પણ સબંધિત છે.જયારે ગુરુ ગ્રહ પોતાની માર્ગી અવસ્થા માં આવે છે,ત્યારે તમારા માટે ઘણા મોકા અને સંભાવનાઓ લઈને આવે છે.આ સમય ફિલોસોફી,શિક્ષણ અને સંસ્કૃતિ વિશે શ્રેષ્ઠ છે.

ગુરુ મિથુન રાશિમાં : ખાસિયતો

ગુરુ નો વિસ્તાર અને લાભકારી ગુણ જિજ્ઞાસુ કે સંચાર કૌશલ માં માહિર મિથુન રાશિના ગુણો ની સાથે મળે છે.ત્યારે આ ખાસ વિશેષતાઓ અને પ્રભાવ ને દર્શાવે છે.ચાલો જાણીએ કે સામાન્ય રૂપથી મિથુન રાશિમાં ગુરુ ની સ્થિતિ શું દર્શાવે છે.

.. જિજ્ઞાસા અને બુદ્ધિ માં વધારો

  • જે લોકોની કુંડળી માં ગુરુ ગ્રહ મિથુન રાશિમાં હોય છે એ હંમેશા જિજ્ઞાસુ સ્વભાવ ના હોય છે અને એનામાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ગહેરી ઈચ્છા જોવા મળી શકે છે.આ લોકોને નવી નવી વસ્તુઓ શીખવા,નવા નવા વિષય શોધવા અને ડિબેટ માં શામિલ થવાનું પસંદ કરે છે.
  • આ લોકોનું મગજ બહુ તેજ હોય છે એટલે આને કોઈપણ નવા પ્લાન કે નવી વસ્તુઓ સીખવામાં વધારે સમય નથી લાગતો.આમનું વ્યક્તિત્વ એવા વાતાવરણ માં પ્રગતિ મેળવે છે જ્યાં દરેક દિવસે આને કોઈ નવી જાણકારી મળે છે કે કંઈક નવું શીખે છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મજબુત સંચાર કૌશલ

  • મિથુન રાશિમાં ગુરુ ગ્રહ હોવા ઉપર નો સૌથી મજબુત પક્ષ એના સારા સંચાર કૌશલ હોય છે.આવા લોકો પોતાના પ્લાન ને સ્પષ્ટ રૂપે બીજા ની સામે રાખે છે અને આ સ્પીકર કે લેખક હોય શકે છે.
  • આ લોકો સામાજિક જીવનમાં મળવાનું પસંદ કરે છે.આને ડિબેટ માં ભાગ લેવો અને જ્ઞાન ને બીજા ની સાથે શેર કરવાનું સારું લાગે છે સંચાર કૌશલ ના બળ ઉપર લોકો સાથે જોડાવાના કારણે આ નેટવર્કિંગ અને કનેકશન બનાવામાં સફળ હોય છે.

બહુમુખી પ્રતિભા ના ધની

  • આવા લોકો જેની કુંડળી માં ગુરુ ગ્રહ મિથુન રાશિ માં બિરાજમાન હોય છે,એ વસ્તુઓ ને જલ્દી શીખી લેય છે.આ લોકો આસાનીથી એક વિષય થી બીજા વિષય,કામો કે પ્લાન માં બદલાવ કરી શકે છે.સામાન્ય રૂપથી આ લોકો એક નિયમિત દિનચર્યા નું પાલન કરવા છતાં નવું કરવામાં વિશ્વાસ કરે છે.
  • આ ગુણ આ લોકોને મલ્ટી ટેલેન્ટેડ બનાવે છે એટલે આ લોકો એક સમય ઉપર એક કરતા વધારે પ્રોજેક્ટ કે કામો ને કરી શકે છે.

બેચેની કે માનસિક ઉતેજના

  • જેમકે અમે તમને જણાવી ચુક્યા છીએ કે આ લોકો નવી નવી વસ્તુઓ શીખવાના શોખીન હોય છે,પરંતુ મિથુન રાશિમાં ગુરુ હોવા ઉપર આ લોકો આસાનીથી બોર થઇ જાય છે જો એ માનસિક રૂપથી સક્રિય નહિ હોય.આ લોકો નવા અનુભવ મેળવા માં ઈચ્છા રાખે છે કે પોતાના મગજ ને ચાલુ રાખવા માટે કંઈક ના કંઈક કરતા જોવા મળી શકે છે.
  • આ લોકો માટે જીવનમાં એક રસ્તા ઉપર ચાલવું મુશ્કિલ હોય શકે છે કારણકે આ લોકો દરેક દિવસે કંઈક નવા ને પ્રાથમિકતા આપે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

સામાજિક જીવન અને ખુલ્લા વિચાર

  • ગુરુ નું મિથુન રાશિમાં હાજરી લોકોને બહુ મિલનસાર અને ખુલ્લા વિચાર વાળા બનાવે છે જે નવા પ્લાન,સંસ્કૃતિ અને પરંપરાઓ માં વિશ્વાસ રાખે છે.આવા લોકો હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણ વાળા હોય છે અને જીવનના અલગ રીતે જીવવામાં દિલચસ્પી રાખે છે.
  • આ લોકો અલગ અલગ જગ્યા એ સબંધ બનાવી રાખવામાં બહુ માહિર હોય છે એટલે આનું સામાજિક જીવન બહુ વ્યાપક હોય છે.

બુદ્ધિમતા

  • ગુરુ નો વિસ્તાર અને પ્રગતિ નો ગ્રહ માનવામાં આવે છે અને આની મિથુન રાશિમાં હાજરી લોકોને જ્ઞાન ને વધારે છે.એની સાથે,મનમાં આવનારા પ્લાન પ્રત્ય એના વિશ્વાસ ને મજબુત બનાવે છે.એવા માં,આ લોકોને લાગી શકે છે કે બુદ્ધિક અને માનસિક વિકાશ જ વ્યક્તિગત વિકાશ ની ચાવી છે.
  • જયારે વાત આવે છે સંચાર કૌશલ ની,આ લોકોનું માનવું છે કે વાતચીત,આપસી સમજણ અને શીખવાની મદદ દરેક સમસ્યાઓ દુર કરવામાં આવે છે.

ટ્રાવેલ કે એક્સપ્લોર

  • મિથુન રાશિના સબંધ બુદ્ધિ,નાની દુરી ની યાત્રા અને સંચાર સાથે છે.જે લોકોની કુંડળી માં ગુરુ મિથુન રાશિમાં હોય છે,એને શીખવા,નવી સંસ્કૃતિઓ ને જાણવા કે નવા લોકો સાથે મળવા ના સબંધ માં યાત્રાઓ કરવી પડી શકે છે.
  • આ લોકોને રોમાંચક જગ્યા એ જવા છતાં સેમિનાર જવું,વાંચવું કે અલગ અલગ જગ્યા એ લોકો સાથે વાત કરવાનું વધારે પસંદ હોય છે.સામાન્ય શબ્દો માં કહીએ તો આવું કરવામાં રુચિ લેય છે જ્યાં આ બુદ્ધિ નો ઉપયોગ કરી શકે.

આવા લોકો જેની કુંડળી માં ગુરુ દેવ મિથુન રાશિમાં સ્થિત હોય છે,એ બુદ્ધિમાની,સાહસી,જિજ્ઞાસુ હોવાની સાથે સાથે મલ્ટી ટેલેન્ટેડ હોય છે.આ લોકો એ રીતના માહોલ માં રહેવાનું પસંદ કરે છે જ્યાં એમની બુદ્ધિ વિક્સિત થઇ શકે અને પોતાના વિચારો ને પણ બીજા ની સાથે શેર કરવામાં સક્ષમ હોય છે.પરંતુ,આ લોકો બેચેન નજર આવી શકે છે પરંતુ બીજા ને જાણવા અને નવી જાણકારી મેળવા ની આવડત આ લોકોને બીજા ની નજર માં આકર્ષિત બનાવે છે.

ગુરુ મિથુન રાશિમાં માર્ગી : દુનિયા ઉપર પ્રભાવ

સરકાર કે અધિકારી

  • સરકાર માં ઉચ્ચ પદો ઉપર આસીન અધિકારી અને રાજનેતા દેશ-દુનિયા ની જરૂરતો ને ધ્યાન માં રાખીને થોડી નીતિઓ માં ખાસ બદલાવ કરતા જોવા મળી શકે છે.
  • ગુરુ માર્ગી દરમિયાન જો સરકાર અને નેતા લોકોની વચ્ચે સોચ વિચાર કરીને વાત નહિ કરે,તો તમારી સમસ્યાઓ વધી શકે છે.આવી પરિસ્થિતિઓ તમારા માટે મુસીબત ઉભી કરી શકે છે.
  • દેશ-દુનિયા માં આરોગ્ય ની જગ્યા એ કમીઓ ઉભરીને સામે આવશે જેનાથી તમે એનો સામનો કરવા માટે તૈયાર રહી શકશે.

શિક્ષણ કે એની સાથે સબંધિત જગ્યા

  • જે લોકો ની નોકરી વાતચીત સાથે જોડાયેલી છે કે પછી વેપાર,ફાયનાન્સ મેનેજમેન્ટ,બેંકિંગ કે બેન્ક સાથે જોડાયેલી કોઈપણ સંસ્થાન સાથે સબંધિત છે,એને આ દરમિયાન ગિરાવટ નો સામનો કરવો પડી શકે છે.
  • જે લોકો શિક્ષણ માં સબંધ રાખે છે અને કાઉન્સિલર,ટીચર,ઇન્સ્ટ્રક્ચર કે પ્રોફેસર તરીકે કામ કરે છે,એને ગુરુ માર્ગી દરમિયાન લાભ મળશે.પરંતુ,ઘણા લોકોના જીવનમાં અનિશ્ચિતા કે અનુકુળ પરિસ્થિતિઓ સાથે ઝૂઝવું પડી શકે છે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

રાઇટિંગ,મીડિયા કે પોડકાસ્ટિંગ

  • જ્યારે ગુરુ માર્ગી થશે, ત્યારે લેખકો અને ફિલસૂફો તેમના સંશોધન, વાર્તાઓ અને પ્રકાશિત કાર્યોને સાચવતા જોઈ શકાય છે. ઉપરાંત, લેખન શૈલીમાં ફેરફારને કારણે તમે તણાવમાં રહી શકો છો.
  • આ સમયગાળા દરમિયાન, વિશ્વભરના વૈજ્ઞાનિકો, સરકારી સલાહકારો અને સંશોધકોને ફાયદો થશે કારણ કે તમે વસ્તુઓને નવા દ્રષ્ટિકોણથી જોશો. આવી સ્થિતિમાં, તમે જીવનમાં આવતી સમસ્યાઓને સર્જનાત્મક રીતે હલ કરી શકશો.
  • પોડકાસ્ટર્સ, બ્લોગર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકો એ સમયગાળા દરમિયાન સફળતાનો આનંદ માણતા જોવા મળશે જ્યારે ગુરુ સીધો હોય છે.

ગુરુ મિથુન રાશિમાં માર્ગી : સ્ટોક માર્કેટ

ગુરુ મહારાજ 04 ફેબ્રુઆરી 2025 ના દિવસે પોતાની વક્રી અવસ્થા માંથી બહાર આવીને મિથુન રાશિમાં માર્ગી થઇ જશે.જ્યોતિષ ની દુનિયા માં ગ્રહો ની સ્થિતિ માં થવાવાળા બદલાવ દુનિયા ની સાથે સ્ટોક માર્કેટ ને પણ પ્રભાવિત કરે છે.એસ્ટ્રોસેજ એઆઈ તમારા માટે શેર માર્કેટ ભવિષ્યવાણી લઈને આવ્યું છે જેના માધ્યમ થી અમે તમને જાણકારી આપીશું કે ગુરુ મિથુન રાશિમાં માર્ગી થઈને સ્ટોક માર્કેટ માં કેવી રીતે બદલાવ લઈને આવશે,ચાલો જાણીએ.

  • આ સમયગાળા માં શેર માર્કેટ માં તેજી જોવા મળશે,પરંતુ અચાનક ગિરાઅત ની પણ આશંકા છે.
  • બેંક,ફાયનાન્સ,પબ્લિક સેક્ટર,હેવી એન્જીન્યરીંગ,કપડાં ઉદ્યોગ,હીરા ઉદ્યોગ,ચાય-કોફી ઇન્ડસ્ટ્રી,કોસ્મેટિક,તમાકુ,રિલાયન્સ ઇન્ડસ્ટ્રી,રિલાયન્સ કેપિટલ,રિલાયન્સ પાવર,ટાટા પાવર,અને અદાણી પાવર તેજી થી આગળ વધશે.પરંતુ,તમને અચાનક થી નુકશાન થઇ શકે છે.
  • 18 તારીખ પછી બઝારમાં મંદી આવી શકે છે અને એવા માં,બાઝાર નીચે જઈ શકે છે એટલે કામ ની રફ્તાર ધીમી પડી શકે છે.
  • ઇલેક્ટ્રિક વસ્તુઓ સાથે જોડાયેલા બિઝનેસ,ઇન્ફોર્મેશન ટેક્નોલોજી,પબ્લિક સેક્ટર યુનિટ,કોમ્પ્યુટર સોફ્ટવેર,પેપર પ્રિન્ટિંગ,એડવેરટાઇઝમેન્ટ,દવા ની કંપની,અને શિપિંગ વગેરે માં કમજોરી જોવા મળી શકે છે.
  • ફેબ્રુઆરી 2025 માં છેલ્લે મંદી આવી શકે છે.

નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો

આ રાશિઓ માટે રહેશે શુભ

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે ગુરુ દેવ તમારી કુંડળી માં નવમો ભાવ અને બારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.મિથુન રાશિમાં ગુરુ ગ્રહ નું માર્ગી હોવાથી તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ની તુલનામાં વધારે સફળતા અને પ્રગતિ મળશે.આ દરમિયાન તમારે યાત્રાઓ કરવી પડી શકે છે અને એની સાથે,જીવનમાં બદલાવ જોવા મળી શકે છે.

કામો કરવામાં આવેલી મેહનત નો ફાયદો તમને નોકરીમાં મળશે.એવા માં,તમે વેવસાયિક જીવનમાં મળવાવાળા વિદેશ યાત્રા ના મોકા નો લાભ ઉઠાવામાં સક્ષમ હશે.જો તમારો પોતાનો ધંધો છે,તો તમારે દબાવ ની સાચી રીત થી સંભાળવું પડશે.આર્થિક જીવન ની વાત કરીએ તો તમને નસીબ નો સાથ ઓછો મળવાની સંભાવના છે.એની સાથે,વધતી કિંમતો ના કારણે તમારું બજેટ પ્રભાવિત થઇ શકે છે એટલે સોચ વિચાર કરીને બજેટ બનાવો.

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા માટે ગુરુ મહારાજ તમારા પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે .હવે આ તમારા અગિયારમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,ગુરુ મિથુન રાશિમાં માર્ગી થઈને તમારી ઈચ્છાઓ પુરી થશે જેનાથી તમને અચાનક રૂપથી લાભ મળશે.

આ સમયગાળા માં તમે નોકરીમાં લગાતાર પ્રગતિ મેળવશો અને એવા માં,તમે સફળતા ના રસ્તે પ્રશસ્ત કરશો.જે લોકો વેપાર કરે છે ખાસ રૂપથી ટ્રેડિંગ કે સટ્ટાબાજી નો એમના માટે સમય ખાસ લાભ લઈને આવી શકે છે અને તમને થોડા સારા મોકા મળવાની સંભાવના છે.આર્થિક જીવનમાં તમારે બહુ ભારી લાભ મળવાનો યોગ બનશે.એવા માં,તમે ઘણી બચત કરવામાં સફળ થશો.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે ગુરુ મહારાજ તમારા ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા દસમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.એવા માં,તમારી સુખ-સુવિધાઓ માં કમી મહેસુસ થઇ શકે છે.પરંતુ સંભવ છે કે આ લોકો પોતાના સબંધ અને કારકિર્દી ને લઈને સજગ થઇ શકે છે.

જયારે વાત આવે છે કારકિર્દી ની તો,તમને નોકરી ની જગ્યા માં પરિવર્તન જોવા મળી શકે છે જે તમારા માટે સકારાત્મક સાબિત થશે.જે લોકોને હમણાંજ વેપાર ચાલુ કર્યો છે એમને આ સમયગાળા માં સારો લાભ કમાવા ના મોકા મળી શકે છે જેના બળ ઉપર તમે મોટી ઉપલબ્ધીઓ પોતાના નામે કરી શકો છો.વાત કરીએ આર્થિક જીવન ની તો ગુરુ માર્ગી દરમિયાન તમારી આવકમાં વધારો થશે જેના કારણે તમને નસીબ નો સાથ મળી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે ગુરુ દેવ તમારા ત્રીજા ભાવ અને છથા ભાવનો સ્વામી છે જે હવે તમારા નવમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ,ગુરુ મિથુન રાશિમાં માર્ગી દરમિયાન આ લોકો પોતાની આવડતો માંથી પાર થઈને કામ કરે છે.એની સાથે,તમને યાત્રા કરવાનો મોકો મળી શકે છે.હવે તમને પોતાની મેહનત નું ફળ મળવાનું ચાલુ થઇ જશે.

કારકિર્દી ની જગ્યા માં તમને વિદેશ માં કામ કરવાના મોકા મળી શકે છે અને આવા મોકા તમારા માટે સારા સાબિત થશે.તમે જો હમણાંજ વેપાર ની શુરુઆત કરી છે તો તમે એક નવી કંપની ખોલવાનું મન બનાવી શકો છો જેનાથી તમે જરૂરી માત્રા માં લાભ કરી શકશો.આર્થિક જીવન ને જોઈએ તો તમે ઘણા પૈસા કમાવા માં સક્ષમ હસો,ખાસ રૂપથી યાત્રાઓ ના માધ્યમ થી.

મકર રાશિ

મકર રાશિના લોકોની કુંડળી માં ગુરુ મહારાજ ત્રીજા ભાવ અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા છથા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.એવા માં,ગુરુ ની માર્ગી અવસ્થા દરમિયાન તમને અચાનક થી આવક ની પર્પટી થવાની સંભાવના છે.એની સાથે,તમારા માટે લોન લેવી પણ ફાયદામંદ સાબિત થઇ શકે છે.

ગુરુ માર્ગી થવાથી તમારી રુચિ કામોમાં વધશે અને તમે પુરા સમર્પણ ની સાથે કામ કરશો જેના કારણે તમે સંતુષ્ટ દેખાશો.ત્યાં,જો તમારો સબંધ વેપાર સાથે છે તો તમારે વેપાર સારી રીતે ચલાવાની જરૂરત હશે કારણકે આ દરમિયાન તમને લાભ કમાવા માં સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે.આર્થિક જીવનમાં તમારા ખર્ચ માં વધારો થઇ શકે છે અને એની સાથે,તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.આ બધીજ પરિસ્થિતિઓ ના કારણે તમને પોતાની જીમ્મેદારીઓ ને પુરી કરવા માટે લોન લેવાની નોબત આવી શકે છે.

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર

આ રાશિઓ ને કરશે નકારાત્મક રૂપથી પ્રભાવિત

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે ગુરુ દેવ તમારા નવમા અને અગિયારમા ભાવ નો અધિપતિ દેવ છે.હવે આ તમારા બીજા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ,ગુરુ મિથુન રાશિમાં માર્ગી તમારી સામે વ્યક્તિગત અને આર્થિક સમસ્યા આવી શકે છે.એની સાથે,તમને અચાનક થી લાભ મળી શકે છે.

વાત કરીએ તમારી નોકરી ની તો,આ સમયગાળા માં કાર્યક્ષેત્ર માં પોતાના મેનેજર અને સહકર્મીઓ ની સાથે સબંધો માં પરેશાનીઓ થી બે ચાર થવું પડી શકે છે.આશંકા છે કે આ દરમિયાન કામમાં કરવામાં આવેલી મેહનત માટે તમને વખાણ પણ નહિ મળે.જો તમારી પોતાની કંપની છે તો તમને ગુરુ ની માર્ગી અવસ્થા સારો લાભ દેવામાં પાછળ રહી શકે છે.એની સાથે,પૈસા ની યોજના સારી રીતે બનાવા અને નકામી વસ્તુઓ ઉપર પૈસા ખર્ચ કરવાના કારણે તમને નુકશાન થઇ શકે છે જેના કારણે તમારી આવકમાં વધારા ના મોકા માં કમી આવી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા માટે ગુરુ દેવ તમારા સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા લગ્ન/પેહલા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.એવા માં,ગુરુ મિથુન રાશિમાં માર્ગી થવાથી તમારા મનમાં કોઈપણ પ્રકારના નકારાત્મક વિચાર લઈને આવવાથી બચવું પડશે અને આ સમયગાળા માં તમને વધારે લાભ મળવાની આશંકા છે.

કારકિર્દી ની વાત કરીએ તો આ લોકોએ કામકાજ માટે યાત્રા કરવી પડી શકે છે કે પછી તમે નોકરીમાં બદલાવ કરી શકો છો.ત્યાં,જે લોકોનો પોતાનો ધંધો છે એ આ સમયે થોડા ચિંતામાં નજર આવી શકે છે કારણકે તમારી મરજી મુજબ લાભ નહિ મળવાની સંભાવના છે.પરંતુ,આ સમયે તમારું પુરુ ધ્યાન પૈસા કમાવા ઉપર રહેશે,પરંતુ,તો પણ પોતાના ખર્ચ ને પુરા કરવામાં અસફળ રહી શકો છો.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે ગુરુ દેવ તમારા છથા અને નવમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા બારમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ,ગુરુ મિથુન રાશિમાં માર્ગી ની ચાલ તમારી જીમ્મેદારીઓ ને એટલી વધારી શકે છે કે એને પુરી કરવામાં તમારે લોન લેવાની નોબત આવી શકે છે.આને પૂરું કરવું તમારા માટે કઠિન લાગી શકે છે.

કારકિર્દી ને જોઈએ તો તમારી ઉપર નોકરી માં કામ નું દબાવ વધી શકે છે.વેપાર કરવાવાળા લોકો નવા બિઝનેસ માં હાથ અજમાવી શકે છે એટલે તમે વધારેમાં વધારે લાભ કમાઈ શકે.પરંતુ,વેપારમાં સફળ થવા માટે તમારે યોજના બનાવીને ચાલવું પડશે.આર્થિક જીવનમાં પૈસા ની સગવડ કરતી વખતે તમારે બહુ સાવધાન રેહવું જોઈએ.નહીતો લાપરવાહીના કારણે તમારે સમસ્યાઓ ઉઠાવી પડી શકે છે.

ગુરુ નો મિથુન રાશિમાં માર્ગી: સેહલા કે પ્રભાવી ઉપાય

મંત્ર જાપ : દરરોજ "ઓમ ગ્રાન ગ્રીન ગ્રાન સા: ગુરુવે નમઃ" નો 108 વાર જાપ કરો.

પીળા કપડાં : લોકો માટે પુખરાજ કે પીળા કલર ના કપડાં પહેરવા ફળદાયી રહેશે.

પીળા કલર ની વસ્તુઓ નું દાન : ધાર્મિક પુસ્તક,હળદર,ચણા ની દાળ,સોનુ,પીળા કલર ના ફુલ,વગેરે ને દાન કરો.

ગુરુવાર નું વ્રત : ગુરુવાર ના દિવસે ગુરુ દેવને સમર્પિત થાય છે એટલે આ દિવસે ગુરુ ગ્રહ માટે વ્રત રાખો.

ભગવાન ગણેશ ની પુજા: ગુરુવાર ના દિવસે શ્રી ગણેશ ની પુજા કરો અને એને પીળા કલર ના માળા કે મીઠાઈ ચડાવો.

કેળા ના ઝાડ ની પુજા : કેળા ના ઝાડ ની પુજા કરતી વખતે હળદર,ચણા ની દાળ અને ગોળ ચડાવો.

શાકાહારી ભોજન : સંભવ હોય તો,શાકાહારી ભોજન કરો. .

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં ગુરુ ક્યારે માર્ગી થશે?

વર્ષ 2025 માં ગુરુ ગ્રહ 0 ફેબ્રુઆરી 2025 ના દિવસે મિથુન રાશિમાં માર્ગી થઇ રહ્યો છે.

2. ગુરુ ના અસ્ત થવા ઉપર શું થાય છે?

જ્યોતિષ મુજબ,ગુરુ દેવના અસ્ત થવા ઉપર શુભ કે માંગલિક કામો કરવા નિષેધ હોય છે.

3. મિથુન રાશિનો સ્વામી કોણ છે?

રાશિ ચક્ર ની ચોથી રાશિ મિથુન નો સ્વામી બુધ ગ્રહ છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer