મોહિની એકાદશી 2025

વર્ષ માં ટોટલ 24 એકાદશીઓ આવે છે અને આ રીતે દરેક મહિનામાં બે એકાદશી તારીખ આવે છે.દરેક એકાદશી તારીખ નું પોતાનું એક અલગ મહત્વ અને લાભ હોય છે.હિન્દુ ધર્મ માં મોહિની એકાદશી નું પણ બહુ મહત્વ છે.હિન્દુ પંચાંગ મુજબ દરેક વર્ષે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષ ની એકાદશી તારીખ ને મોહિની એકાદશી પડે છે.

મોહિની એકાદશી 2025

આ એકાદશી ઉપર માં લક્ષ્મી કે ભગવાન વિષ્ણુ ની પુજા વિધિ કરવામાં આવે છે અને એના નિમિત્ત વ્રત રાખવાનું પણ વિધાન છે.એવું માનવામાં આવે છે કે આ એકાદશી ઉપર વ્રત રાખવાથી પણ મનોકામનાઓ પુરી થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં જણાવામાં આવ્યું છે કે મોહિની એકાદશી નું શું મહત્વ છે,મોહિની એકાદશી 2025 કઈ તારીખે પડે છે અને આ એકાદશી ઉપર ક્યાં ઉપાય કરવામાં આવી શકે છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે નિષ્ણાત જ્યોતિષીઓ સાથે વાત કરીને

મોહિની એકાદશી ની તારીખ

07 મે, 2025 ના દિવસે સવારે 10 વાગીને 22 મિનિટ થી એકાદશી તારીખ ચાલુ થઇ જશે અને આ પુરી 08 મે,2025 ના દિવસે 12 વાગીને 32 મિનિટ ઉપર થશે.આ રીતે મોહિની એકાદશી 2025 નું વ્રત ગુરુવાર ના દિવસે 08 મે ના દિવસે રાખવામાં આવશે.

મોહિની એકાદશી પારણા મુર્હત: 09 મે, 2025 ના દિવસે 05 વાગીને 34 મિનિટ થી લઈને 08 વાગીને 15 મિનિટ સુધી

સમયગાળો : 02 કલાક 41 મિનિટ

બૃહત કુંડળી માં છુપાયેલા છે,તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મોહિની એકાદશી ઉપર બની રહ્યો છે શુભ યોગ

આ વખતે મોહિની એકાદશી ઉપર હર્ષણ યોગ બની રહ્યો છે જેને જ્યોતિષ માં બહુ શુભ માનવામાં આવ્યો છે.આ યોગ 08 મે ના દિવસે 01 વાગીને 03 મિનિટ ઉપર ચાલુ થશે અને 10 મે ની રાતે 01 વાગીને 55 મિનિટ ઉપર પુરો થશે.

હર્ષણ 14 મોં નિત્ય યોગ છે જેનો સ્વામી ભગ છે અને આ બહુ શુભ યોગ માનવામાં આવે છે.આ યોગ ઉપર સુર્ય ગ્રહ નું શાસન છે.આ યોગ થી સુખ-સંપત્તિ,ઉત્તમ આરોગ્ય,ભાગ્ય અને સમૃદ્ધિ મળે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

મોહિની એકાદશી ની પુજા વિધિ

મોહિની એકાદશી 2025 ઉપર બ્રહ્મ મુર્હત માં ઉઠો અને એના પછી સ્નાન કરીને સાફ કપડાં પહેરો.હવે તમે કળશ સ્થાપના કરો કે ભગવાન વિષ્ણુ ની ઉપાસના કરો.મોહિની એકાદશી ઉપર વ્રત કથા નો પાઠ કરો બીજી વ્યક્તિ ને આ કથા સંભળાવો.રાતે ભગવાન નું સ્મરણ કરો અને એમના નામ ના મંત્ર નો જાપ કરો.

તમે આ રાત ને કીર્તન પણ કરી શકો છો.આગળ ના દિવસે દ્રાદશ તારીખ ઉપર પોતાના વ્રત નું પારણ કરો.વ્રત નું પારણ કરતા પેહલા કોઈ બ્રાહ્મણ કે જરૂરતમંદ વ્યક્તિ ને ભોજન કરાવો અને એને દક્ષિણા આપો.એના પછી જ તમે ભોજન કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મોહિની એકાદશી સાથે જોડાયેલી જુની વાર્તાઓ

મોહિની એકાદશી 2025 અંગેની એક પ્રચલિત દંતકથા અનુસાર, સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામનું એક સ્થળ હતું. આ સ્થળ પર ચંદ્રવંશી રાજા ધૃતિમાનનું શાસન હતું. તેઓ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા અને હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિમાં ડૂબેલા રહેતા.

રાજાને પાંચ પુત્રો હતા, પરંતુ તેનો પાંચમો પુત્ર ધૃષબુદ્ધિ પાપી કાર્યોમાં સામેલ હતો. તે મહિલાઓ પર ત્રાસ ગુજારતો હતો અને તેમની સાથે અનૈતિક વર્તન કરતો હતો. તેને જુગાર રમવાનો અને માંસ અને દારૂ ખાવાનો પણ શોખ હતો. રાજા પોતાના પુત્રની આ વૃત્તિથી ખૂબ જ નારાજ થયો, તેથી તેણે પોતાના પુત્રને ત્યજી દીધો. પિતા દ્વારા ત્યજી દેવામાં આવ્યા પછી, ધૃષબુદ્ધિ થોડા દિવસો માટે પોતાના ઘરેણાં અને કપડાં વેચીને જીવી શક્યો અને તે પછી તેની પાસે ખાવા માટે પૈસા બચ્યા નહીં અને તે ભૂખ્યા અને તરસ્યા આમતેમ ભટકવા લાગ્યો.

પોતાની ભૂખ સંતોષવા માટે, તેણે લૂંટનો આશરો લેવાનું શરૂ કર્યું, અને તેને રોકવા માટે, રાજાએ તેને કેદ કરી દીધો. આ પછી તેમને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા. હવે તે જંગલમાં રહેતો હતો અને પોતાના ખોરાક માટે પ્રાણીઓ અને પક્ષીઓનો ભોગ લેતો હતો. ભૂખથી ત્રાસીને, તે ઋષિ કૌંડિનયના આશ્રમમાં પહોંચ્યો. તે સમયે, વૈશાખ મહિનો ચાલી રહ્યો હતો અને ઋષિ ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. તે સમયે ઋષિ કૌંડિનયના કપડાં ભીના હતા અને તેમના કપડાંમાંથી કેટલાક ટીપાં ધૃષબુદ્ધિ પર પડ્યા. આનાથી ધૃષબુદ્ધિની પાપી બુદ્ધિમાં પરિવર્તન આવ્યું. તેણે ઋષિ સમક્ષ પોતાના ગુનાઓ કબૂલ કર્યા અને પોતાના પાપોથી મુક્તિ મેળવવા માટે ઉપાય માંગ્યો.

આના પર ઋષિ કૌંડિનૈયાએ ધૃષ્ટબુદ્ધિને વૈશાખ મહિનામાં શુક્લ પક્ષ દરમિયાન એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ વ્રત રાખવાથી તેમના બધા પાપોનો નાશ થશે. ધૃષબુદ્ધિએ પણ એવું જ કર્યું અને તેના બધા પાપોનો નાશ થયો અને તેને વિષ્ણુ લોક પ્રાપ્ત થયો. એવું માનવામાં આવે છે કે મોહિની એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને સાંસારિક આસક્તિમાંથી મુક્તિ મળે છે.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ

મોહિની એકાદશી માટે જ્યોતિષય ઉપાય

જો તમારી કોઈ મનોકામના અધુરી રહી ગઈ છે અને તમે એને પુરી કરવા માંગો છો,તો એકાદશી ના દિવસે એક પીળા કલર ના કપડાં પહેરો.તમે પીળા કલર ના રૂમાલ થી પણ આ ઉપાય કરી શકો છો.આ કપડાં ની ચારો બાજુ એક ચમકીલો કલર નો ગોટો લગાવો.આને તમે ભગવાન વિષ્ણુ ના મંદિર માં ભેટ કરો.આ ઉપાય કરવાથી તમારી બધીજ મનોકામના પુરી થશે.

જો તમે તમારી કારકિર્દી માં ઉન્નતિ મેળવા માંગો છો તો એકાદશી ના દિવસે નાહવાના પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરો.એ પછી સાફ ધોયેલા કપડાં પહેરો અને વિષ્ણુજી ની પુજા વિધિ કરીને પુજા કરો.

પૈસા ના લાભ માટે મોહિની એકાદશી ઉપર તુલસી ના છોડ માં દુધ ચડાવો.પછી બંને હાથ થી તુલસી ના જડ ને અડીને એમના આર્શિવાદ લો.આ ઉપાય કરવાથી તમારી બધીજ આર્થિક સમસ્યાઓ દુર થશે અને તમે નાણાકીય રૂપથી મજબુત થશો.

કારકિર્દી માં ઉન્નતિ મેળવા માટે તમે એકાદશી ઉપર ભગવાન વિષ્ણુ ને માખણ અને મિશ્રી નો પ્રસાદ ચડાવો અને એની મુર્તિ કે ફોટા ની આગળ બેસીને ઓમ નમો ભગવતે નારાયણ નો જાપ કરો.તમારે આ મંત્ર નો 108 વાર જાપ કરવો જોઈએ.એનાથી તમને પોતાની કારકિર્દી માં પ્રગતિ મળી શકે છે.

જે લોકો પોતાના બિઝનેસ ને વધારવા માંગે છે એ મોહિની એકાદશી ઉપર કોઈ બ્રાહ્મણ ને બોલાવીને એને ભોજન કરાવો અને પછી પોતાની શક્તિ મુજબ દાન આપો.જો કોઈ કારણ થી બ્રાહ્મણ ઘરે નથી આવી શકતા તો તમે એની થાળી બનાવીને મંદિર કે એના ઘરે જઈને દઈને આવો.આનાથી તમારા વેવસાય માં તરક્કી થશે.

Read in English : Horoscope 2025

મોહિની એકાદશી ઉપર વ્રત ના નિયમ

જો તમે એકાદશીના ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો આ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને પછી ધોયેલા કપડાં પહેરો.

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, દરેક વ્યક્તિએ એકાદશી તિથિ પર ફક્ત સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. આ દિવસે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવું યોગ્ય માનવામાં આવે છે. એકાદશી તિથિના અંત સુધી ઉપવાસ રાખવાનો હોય છે.

મોહિની એકાદશીના વ્રત દરમિયાન, તમારા મનમાં કોઈપણ પ્રકારના નકારાત્મક વિચારો ન લાવો અને કોઈની ટીકા ન કરો. આ દિવસે તમારે જૂઠું બોલવાનું પણ ટાળવું જોઈએ.

એવું કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે છે તેણે એકાદશીની રાત્રે સૂવું ન જોઈએ. આખી રાત ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ.

આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

એકાદશી તિથિ પર બ્રાહ્મણો અને ગરીબોને કપડાં, ભોજન અને દક્ષિણાનું દાન કરવું ફળદાયી છે.

એકાદશીના દિવસે ચોખા અને જવ ખાવાની મનાઈ છે. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના સારા કાર્યોનો નાશ થાય છે.

ખોરાકમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ પણ પ્રતિબંધિત છે.

મોહિની એકાદશી પર બ્રહ્મચર્યનું પાલન કરો અને કોઈ પર ગુસ્સો ન કરો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મોહિની એકાદશી ઉપર રાશિ મુજબ કરો ઉપાય

મોહિની એકાદશી ઉપર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી ની કૃપા મેળવા માટે તમે આ ઉપાય કરી શકો છો:

મેષ રાશિ : તમે ભગવાન વિષ્ણુ ને તુલસી ના પાંદડા અને પીળા કલર ના ફુલ ચડાવો.એનાથી તમને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ મળશે.

વૃષભ રાશિ : આ રાશિ વાળા વિષ્ણુજી ને દુધ માં તુલસી ના પાંદડા નાખીને ચડાવો,આ ઉપાય કરવાથી તમારા લગ્ન જીવનમાં મધુરતા આવશે અને તમારા માટે પૈસા ના રસ્તા ખુલશે.

મિથુન રાશિ : જે લોકો ની રાશિ મિથુન છે એ મોહિની એકાદશી 2025 ઉપર કેળા નો પ્રસાદ બનાવીને ગરીબ લોકોને દાન કરો.આવું કરવાથી કારકિર્દી માં તરક્કી મળશે અને માનસિક સ્પષ્ટ મળશે.

કર્ક રાશિ : તમે એકાદશી તારીખ ઉપર વિષ્ણુજી ને ભાત અને સફેદ કલર ની મીઠાઈ ચડાવો.એનાથી તમારા પરિવારમાં સુખ-શાંતિ આવશે.

સિંહ રાશિ : આ રાશિ વાળા એકાદશી તારીખ ઉપર પીળા કલર ના કપડાં નું દાન કરો.એનાથી તમારા માન-સમ્માન અને નેતૃત્વ કરવાની આવડત માં વધારો થશે.

કન્યા રાશિ : તમે તુલસી ના છોડ ની પાસે એકાદશી ના દિવસે ઘી નો દીવો કરો અને પછી વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.એનાથી તમે નિરોગી બનસો અને તમારી બુદ્ધિમાં વધારો થશે.

તુલા રાશિ : તમે સફેદ કલર ની મીઠાઈ વિષ્ણુજી ને ચડાવો અને ગરીબો માં વેચો.આ ઉપાય કરવાથી તુલા રાશિ ના લોકોના સબંધ માં આપસી તાલમેલ વધશે અને એને આર્થિક લાભ થશે.

વૃશ્ચિક રાશિ : તમે લાલ કલર ના ફુલ વિષ્ણુજી ને ચડાવો અને વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.એનાથી તમારા જીવન માંથી નકારાત્મકતા ઉર્જા દુર થશે.

ધનુ રાશિ : તમે પીળા કલર ના ફળ જેમકે કેરી કે કેળા વિષ્ણુજી ને ચડાવો.આનાથી તમારી અધિયાત્મિક ઉન્નતિ ના રસ્તા ખુલશે અને તમારા સૌભાગ્ય માં વધારો થશે.

મકર રાશિ : તમે પાણીમાં કાળા તિલ નાખીને ભગવાન વિષ્ણુ નો અભિષેક કરો.આ ઉપાય કરવાથી તમારા પાપ નષ્ટ થઇ જશે અને તમને તમારી કારકિર્દી માં સ્થિરતા મળશે.

કુંભ રાશિ : જે લોકોની રાશિ કુંભ છે,એ ભગવાન વિષ્ણુ ની પુજા નીલા કલર ના ફુલ થી કરો અને પાણીમાં તુલસી ના પાંદડા નાખીને એને અર્ધ્ય આપો.એનાથી તમારા અટકેલા કામ પુરા થશે અને તમને માનસિક શાંતિ મળશે.

મીન રાશિ : તમે મોહિની એકાદશી 2025 ને વિષ્ણુ જી ને પીળા કલર ના ફુલો અને ચંદન ની પુજા કરો.એનાથી તમારા નસીબ માં વધારો થશે અને તમને ધાર્મિક સુખ મળશે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે. જો એમ હોય, તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. મોહિની એકાદશી ક્યારે છે?

મોહિની એકાદશી 08 મે,2025 ના દિવસે છે.

2. મોહિની એકાદશી ઉપર કોની પુજા થાય છે?

આ દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી ની પુજા કરવાનું વિધાન છે.

3. મોહિની એકાદશી 2025 ઉપર મિથુન રાશિ વાળા ક્યાં ઉપાય કરે?

આ લોકો કેળા નો પ્રસાદ વેંચો.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Kundli
What will you get in 250+ pages Colored Brihat Kundli.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Kundli

250+ pages

Brihat Kundli

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer